॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૫૪: ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

મહિમા

ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, “વચનામૃત વાંચો.” તેથી તેમણે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪મું વચનામૃત વાંચ્યું. સ્વામી રાજી થઈને બોલ્યા, “ફરી વાંચો.” એમ આ વચનામૃત પાંચ વખત વંચાવ્યું. પછી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે દિવસ બધો સાંભળ્યા જ કરીએ. જુઓને, માંહી મહારાજે મોક્ષનું દ્વાર બતાવી દીધું છે. આ વચનામૃત જેને નહીં સમજાય તેનાં કરમ ફૂટ્યાં જાણવાં.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૪૬૪]

Gunātitānand Swāmi said to Yogeshwardas Swāmi, “Read the Vachanāmrut.” Therefore, he read Vachanāmrut Gadhadā I-54.

Swāmi was pleased and said, “Please read it again.” In this way, he had this Vachanāmrut read five times before saying, “Oh! I feel like listening to this Vachanāmrut all day. Look, Mahārāj has revealed the gateway to moksha in this Vachanāmrut. Those whose karmas are barren will not understand this Vachanāmrut.”

[Aksharbrahma Shri Gunātitānand Swāmi: 1/464]

મહિમા

પ્રથમનું ચોપનમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “ઓહો! આ વચનામૃત તો દિવસ બધો જાણે સાંભળ્યા કરીએ તો પણ તૃપ્ત ન થાઈએ. જુઓને! માંહી મોક્ષનું દ્વાર જ બતાવી દીધું ને જ્ઞાન પણ બતાવી દીધું છે. એમ કહીને ત્રણ વાર વંચાવ્યું ને કહ્યું જે, જેનાં કર્મ ફૂટ્યાં હોય તેને આ વાત ન સમજાય, તેને તો મૂળ મોટાપુરુષ એ જ શત્રુ જેવા જણાય છે. એ વિપરીત જ્ઞાન કે’વાય. માટે હવે તો સાધુને જ વળગી જાવું. અને આવો સમો આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહીં એવી જીવની અવળાઈ છે.”

[સ્વામીની વાતો: ૬/૨૦૯]

After having Vachanāmrut Gadhadā I-54 read, Gunātitānand Swāmi said, “Oh! Even if we listen to this Vachanāmrut all day, we would still do not feel satisfied. This Vachanāmrut reveals the gateway to moksha and also explains true spiritual knowledge.” Saying this, he had it read three or four times and said, “Those whose karmas are barren will not understand this talk. For them, fundamentally, they view the great Sadhu as an enemy. That is known as destructive spiritual knowledge. So now, only attach [yourself] to this Sadhu. That such a time has come and still one does not stay with God or with the great Sadhu or listen to their talks is the jiva’s perversity.”

[Swāmini Vāto: 6/209]

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વારા કહ્યું છે.” ‘પ્રસઙ્‌ગમજરં પાશમ્’ એ શ્લોક બોલીને કહ્યું, “દ્વાર વિના ભીંતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો.”

[સ્વામીની વાતો: ૬/૮૫]

પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ કપિલદેવ ભગવાન માતા દેવહુતિને કહે છે, “વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને (બંધનકારક) કદી તૂટે નહીં તેવો પાશ છે પણ તે જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષનાં દ્વાર ખુલ્લાં જ છે.” (ભાગવત: ૩/૨૫/૨૦)

Gunātitānand Swāmi said, “After purifying one’s inner faculties, one should think that whatever important talks take place are due to this Sādhu. The fact that this Satsang, God and his Sādhu have been recognized in itself is described as the gateway to moksha.” After reciting the shlok: Prasangam-ajaram pāsham..., Swāmi said, “Without a door, banging one’s head into the wall will not allow one to enter. So, attach the jiva with such a Sādhu...”

[Swāmini Vāto: 6/85]

†Kapildev Bhagwan says to his mother, Devhuti, “If a person maintains profound attachment towards the God-realized Sadhu just as resolutely as he maintains profound attachment towards his own relatives, then the gateway to liberation opens for him.” - Shrimad Bhagvat: 3/25/20

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase